Joshi 2

GSEB Sanskrit std 9 chapter 8 - Kashayanam koparadhah bhashantar with swadhyay

     ધોરણ 9 પાઠ - 8  काषायाणां कोऽपराध: 


GSEB Sanskrit std 9 chapter 8 - Kashayanam koparadh (  काषायाणां कोऽपराध: ) translation with swadhyay

         મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન શરૂ કર્યું. આ આંદોલનનો બધો જ વ્યવહાર શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. તેઓ દેશની આઝાદી માટે કાર્યમગ્ન ગાંધી મહાશયના કાર્યથી ખૂબ પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમણે ગાંધીજીને કહ્યું, ‘‘હું આપના આશ્રમમાં પ્રવેશ અને નિવાસ કરવા ઇચ્છું છું. દેશની આઝાદી માટે કાર્ય કરવાની મને પણ બહુ ઇચ્છા છે.’’

        સત્યદેવનો પ્રસ્તાવ ગાંધી મહોદયે સ્વીકાર્યો. ગાંધીજીએ કહ્યું, ‘‘સરસ, આપશ્રીનું સ્વાગત છે. આ આશ્રમ આપનો જ છે, છે, પણ આશ્રમમાં પ્રવેશતાં પહેલાં આપે ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ.’’ ગાંધીજીનો આદેશ સાંભળીને આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનમાં ગુસ્સે થયા. પરંતુ તેમણે ગાંધીજીની આગળ પોતાનો રોષ પ્રગટ ન કર્યો. તેમણે કહ્યું, ‘‘ભગવાં વસ્ત્રોનો ત્યાગ શા માટે? ભગવાં વસ્ત્રોનો શો અપરાધ છે? હું સંન્યાસી છું. સંન્યાસીઓ ભગવાં વસ્ત્રો ધારણ કરે છે. હું ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં.’’ 

              સ્વામી સત્યદેવનું વચન સાંભળી શાંત સ્વરે ગાંધી મહોદયે કહ્યું,  -  
           “આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ મારો ઉદ્દેશ નથી. ફક્ત ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરવાનું હું કહું છું.’

ગાંધીજીના કહેવાનું તાત્પર્ય ન જાણતા સત્યદેવ વિચારની મુદ્રામાં ઊભા રહ્યા અને તેમણે મૌન ધારણ કર્યું.

        તેમની (સત્યદેવની) તેવી મનઃસ્થિતિ સમજીને ગાંધી મહોદયે પોતાનો આશય સ્પષ્ટ કરવા માટે શાંત ભાવથી અને મૃદુ ભાષાથી સત્યદેવને કહ્યું, ‘‘આપ સાવચેત થઈને સાંભળો. આપણે બીજાઓની સેવા કરવા માટે લાગેલા છીએ. આ જ આપણું ધ્યેય છે. આપ જાણો જ છો કે આપણા દેશમાં લોકો ભગવાં વસ્ત્ર ધારણ કરનાર સંન્યાસીની સેવા કરવા હંમેશાં ઉત્સુક હોય છે. આપ જ્યારે સેવાકાર્ય માટે પ્રવૃત્ત થશો ત્યારે ભગવાં વસ્ત્ર ધારણ કરેલા આપને જોઈને એક બાજુ તેઓ આપના સેવાકાર્યને સ્વીકારશે નહીં; બીજી બાજુ તેઓ આપની સેવા કરવા પ્રવૃત્ત થશે. આનાથી શું આપણા ધ્યેયની હાનિ નહિ થાય? સંન્યાસ તો મનમાં રહેલો સંકલ્પ જ છે. તેનો વેશભૂષાની સાથે સંબંધ કોઈ પણ દષ્ટિએ યોગ્ય નથી. હું ચોક્કસપણે માનું છું કે ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરવાથી સંન્યાસનો ત્યાગ નહીં જ થાય. માટે આપશ્રી વિચારો; ત્યારબાદ જે યોગ્ય હોય તે કરો.’’

ગાંધી મહોદયનું આવું વચન સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ઘડીએ દૂર થયો. તેઓ ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરીને સેવાકાર્યમાં પોતાને યોજવા તૈયાર થયા.


વિદ્યાર્થી-મિત્રો , જો તમને આપડી આ પોસ્ટ ગમી હોય તો તમારાં ઓછાંમાં ઓછા 5 મિત્રો ને send કરવાનું ભૂલતા નહીં.

• તમારું share , Subscribe અને like અમને હજુ વધારે આ કામ કરવામાં ઉત્સાહિત કરશે....

Subscribe my YouTube channel - omkar Education Education

સ્વાધ્યાય video on યુટ્યુબ - 

संस्कृत व्याकरण - https://youtube.com/playlist?list=PL77YmQ0peBwpGt9CzI0IKnt30iTQBEn0r

Insta - hiteshjoshi_2026


                         स्वाध्याय

प्र. 1. अधोदत्तानां प्रश्नानाम् उत्तराणि समुचितं विकल्पं चित्वा लिखत ।

( 1 ) स्वातन्त्र्यान्दोलनस्य व्यवहारः आरम्भदिनेषु कुत्र प्राचलत् ?

. साबरमती आश्रमे  ✓

. वर्धा-आश्रमे

. दाण्डीसमीपे 

. पालडी-ग्रामे


(2) गान्धिमहोदयस्य कार्येण कः प्रभावितः प्रसन्नः च आसीत् ?

. सत्यदेव: ✓

. महादेव:

. निपुणस्वामी 

. जवाहरलाल:


( 3 ) गान्धिमहोदयस्य पुरतः किं कर्तुं सत्यदेवः समर्थः न अभवत् ? 

. सेवाकार्यम् 

. रोषं प्रकयितुम् ✓

. रोषं गोपयितुम् 

. आश्रमं गन्तुम् 


4 ) सत्यदेवस्य वचनं श्रुत्वा गान्धिमहोदयः कथम् अवदत् ?

. शान्तस्वरेण ✓

. क्रुद्धस्वरेण

. श्रान्तस्वरेण 

. दृढसङ्कल्पेन


5 ) संन्यासः कीदृशः सङ्कल्पः वर्तते ?

. मननीय: 

. मोहगत:

. मनोगत:  ✓

. काषायपरिधानस्य 


 प्र. 2. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि संस्कृतभाषायां लिखत ।

( 1 ) सत्यदेवः कः आसीत् ?

  - सत्यदेवः काषायवस्त्रधारी संन्यासी आसीत् ।


 (2) गान्धिमहोदयस्य ध्येयं किम् आसीत् ?

   - लोकानां सेवाप्रवृत्तिः इति गान्धिमहोदयस्य ध्येयम् आसीत्।


( 3 ) जनाः कस्य सेवां न अङ्गीकुर्वन्ति ?

    - जना: काषायवस्त्रधारिणः संन्यासिनः सेवां न अङ्गीकुर्वन्ति। 


( 4 ) कस्य त्यागेन संन्यासस्य त्यागः न भवति ?

   - काषायवस्त्राणां त्यागेन संन्यासस्य त्यागः न भवति । 


(5) स्वामिसत्यदेवः किमर्थं सन्नद्धः अभवत् ?

  -  स्वामिसत्यदेवः काषायवस्त्राणां त्यागं कृत्वा सेवाकार्ये आत्मानं योजयितुं सन्नद्धः अभवत् ।


प्र. 3. अधोलिखितानि क्रियापदानि वर्तमानकालस्य (लट् लकारस्य) रूपत्वेन परिवर्तयत ।


( 1 ) प्रारभत   -  प्रारभते

( 2 ) आगच्छत्   - आगच्छति

( 3 ) अकथयत्   - कथयति

( 4 ) भविष्यन्ति  - भवन्ति

( 5 ) अकुप्यत्  - कुप्यति


प्र. 4. रेखाङ्कितपदानां स्थाने प्रकोष्ठात् उचितपदं चित्वा प्रश्नवाक्यं रचयत ।

(के, केषाम्, कीदृशेन, कस्य, कः, कथम्)


( 1 ) सत्यदेवस्य प्रस्तावं गान्धिमहोदयः स्वीकृतवान् ।

  - सत्यदेवस्य प्रस्तावं कः स्वीकृतवान् ? 


( 2 ) संन्यासिजनाः काषायवस्त्राणि परिधारयन्ति । 

   - के काषायवस्त्राणि परिधारयन्ति ?


( 3 ) केवलं काषायवस्त्राणां त्यागं कर्तुं वदामि । 

   - केवलं केषां त्यागं कर्तुं वदामि ? 


( 4 ) शृणोतु भवान् सावधानेन मनसा । 

     - शृणोतु भवान् कीदृशेन मनसा ?


( 5 ) ते भवतः सेवाकार्यं न अङ्गीकरिष्यन्ति । 

  - ते कस्य सेवाकार्यं न अङ्गीकरिष्यन्ति ?


प्र. 5. शब्दरूपैः रिक्तस्थानानि पूरयत ।


       एकवचनम्   द्विवचनम्   बहुवचनम्


( 1 ) दिवसे   दिवसयोः   दिवसेषु  ।


(2) कार्यरतस्य  कार्यरतयोः   कार्यरतानाम्  ।


(3) स्वरेण  स्वराभ्याम्   स्वरैः  ।


(4) त्यागेन  त्यागाभ्याम्  त्यागैः  ।


     त्यागाय त्यागाभ्याम् त्यागेभ्यः


     त्यागात् त्यागाभ्याम् त्यागेभ्यः


(b ) देशे  देशयोः   देशेषु  ।


प्र. 6. उदाहरणानुसारं धातुरूपाणां परिचयं कारयत ।


उदा., मन्ये - वर्तमानकालः आत्मनेपदम्  उत्तमपुरुष: एकवचनम्


( 1 ) भविष्यन्ति  -  सामान्य भविष्यकालः परस्मैपदम् अन्यपुरुषः  बहुवचनम्

( 2 ) प्राचलत् - ह्यस्तनभूतकालः परस्मैपदम् अन्यपुरुषः एकवचनम्

( 3 ) अकथयत् - ह्यस्तनभूतकालः परस्मैपदम् अन्यपुरुषः एकवचनम् 

( 4 ) भवामि - वर्तमानकालः परस्मैपदम् उत्तमपुरुष: एकवचनम्


प्र. 7. प्रदत्तान् शब्दान् प्रयुज्य वाक्यानि रचयत ।

 ( 1 ) એક દિવસ આશ્રમમાં આવ્યા.

     (एक दिवस आश्रम आ + गम् ।) 

     - एकस्मिन् दिवसे आश्रमम् आगच्छत् । 


 ( 2 ) કાર્યથી ખૂબ જ પ્રભાવિત થયા.

     (कार्य अतीव प्रभावित अस्।) 

     - कार्येण अतीव प्रभावितः अभवत् । 


 ( 3 ) ત્યાગ કરવા માટે કેવી રીતે પ્રવૃત્ત થાઉં ?

      (त्याग कृ + तुम् कथम् प्रवृत्त भू।)

    - त्यागं कर्तुं कथं प्रवृत्तः भवामि ? 


 ( 4 ) માત્ર કાષાયવસ્ત્રોનો ત્યાગ કરવા માટે કહું છું.

       (केवल काषायवस्त्र त्याग वद् ।)

      - केवलं काषायवस्त्राणां त्यागाय वदामि । 


प्र. 8. कृदन्तप्रकारं लिखत ।

( 1 ) विकीर्य - सम्बन्धक भूतकृदन्तम् 

( 2 ) भवितु -  हेत्वर्थ कृदन्तम् 

( 3 )आदाय - सम्बन्धक भूतकृदन्तम् 

( 4 ) छेत्तुम् - हेत्वर्थ कृदन्तम् 

( 5 ) धृत्वा - सम्बन्धक भूतकृदन्तम् 


प्र.9. अधोलिखितानां प्रश्नानाम् उत्तराणि गुर्जरभाषायां लिखत ।

(1 ) સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું ? 

- : સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનનો બધો વ્યવહાર ચાલતો હતો.


( 2 ) સ્વામી સત્યદેવ આશ્રમમાં પ્રવેશ શા માટે ઇચ્છતા હતા? 

- : સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનથી પ્રભાવિત અને પ્રસન્ન હતા. તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવાકાર્ય કરવાની ઇચ્છા હતી, એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશ ઇચ્છતા હતા.


(૩) ગાંધીજીએ શાંત સ્વરે શું કહ્યું ?

  - : ગાંધીજીએ શાંત સ્વરે સ્વામી સત્યદેવને કહ્યું, ‘‘આપે જે કહ્યું તે સાચું છે, પણ આપ સંન્યાસનો ત્યાગ કરો એમ કહેવાનો મારો આશય નથી. હું ફક્ત આપ ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરો એમ કહું છું.’


( 4 ) સંન્યાસીઓ સાથે આપણા દેશના લોકો કેવો વ્યવહાર

રાખે છે ?

 - : ભગવાં વસ્ત્ર ધારણ કરનારા સંન્યાસીઓને આપણા દેશના લોકો પૂજ્ય માને છે, એટલે તેઓ સંન્યાસીઓની સેવા કરવાની ભાવના રાખે છે.


(5) ગાંધીજીની વાત સાંભળીને છેવટે સ્વામી સત્યદેવે શું કર્યું ? 

 - : ગાંધીજીની વાત સાંભળીને સ્વામી સત્યદેવનો સંશય તે જ ક્ષણે દૂર થયો. તેઓ ભગવાં વસ્ત્રોનો ત્યાગ કરીને ગાંધીજીના સેવાકાર્યમાં લાગી ગયા.

                                 धन्यवाद:

          जयतु संस्कृतम्              जयतु भारतम्   

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.